અરવિંદ કેજરીવાલે કહી જોરદાર વાત: ઈન્ડિયા ગઠબંધનને મળશે 300થી વધુ સીટો, કહ્યું- 4 જૂને મોદી સરકાર જશે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan21052024_064413_Kejriwal 223.webp)
- 21 May, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ચાર જૂને મોદી સરકાર જઈ રહી છે. 4 જૂને ઈન્ડિયા ગઠબંધનને પોતાના દમ પર 300થી વધુ સીટો મળી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જેમ-જેમ ચૂંટણી થતી જઈ રહી છે, તેમ-તેમ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે મોદી સરકાર જઈ રહી છે. ઈન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે. સર્વેના ફન્ડિંગ્સ પરથી સ્પષ્ટ થાય છે કે 4 જૂને ઈન્ડિયા ગઠબંધનને 300થી વધુ સીટો મળશે.
અરવિંદ કેજરીવાલે અમિત શાહના નિવેદન પર કહ્યું કે ગઈકાલે તે દિલ્હી આવ્યા હતા અને દિલ્હી આવીને તેમણે દેશના લોકોને ગાળો આપી. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના સપોર્ટર પાકિસ્તાની છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને પુછવા માંગું છું કે દિલ્હીના લોકોએ અમને વોટ આપ્યા. પંજાબના લોકોએ અમને વોટ આપ્યા. ગુજરાતના 14 ટકા લોકોએ અમને મત આપ્યા, શું તેઓ પાકિસ્તાની છે? તમને પીએમએ તેમના વારસદાર તરીકે ચૂંટ્યા કે તમને તેનો અહંકાર થઈ ગયો. હજી તો તમે પીએમ બન્યા નથી અને અને તમને અહંકાર આવી ગયો. તમે પીએમ બની રહ્યાં નથી. બીજેપી જઈ રહી છે. ઘમંડ ઓછો કરો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ